ખેડબ્રહ્મા અંબિકા માના મંદિરમાં ક્યારે થશે સ્થાપન અને શરદ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણના દિવસે મંદિર ક્યારે થશે બંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરમાં આવતીકાલથી શરુ થતી નવરાત્રિ પર્વમાં સવારે વહેલી આરતી બાદ શુભ મુહૂર્તમાં ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે અને રાત્રે ગરબા યોજાશે. શરદ પૂર્ણિમા ચંદ્રગ્રહણને લઈને મંદિર બપોર બાદ બંધ થશે.હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં રવિવારથી નવરાત્રિ પર્વની શરૂઆત થશે. ત્યારે નવરાત્રિ ચોકમાં મંડળો દ્વારા શુભ મુહૂર્તમાં માતાજીનું વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવશે. ખેડબ્રહ્માના અંબિકા માતાજીના મંદિરે શારદીય નવરાત્રિ પર્વે આવતીકાલે સવારે મંગળા આરતી થશે. ત્યાર બાદ 10.25 કલાકથી 12 કલાક દરમિયાન પૂજન અર્ચન સાથે ઘટ્ટ સ્થાપન કરવામાં આવશે અને રોજ રાત્રે માતાજીના ચાચર ચોકમાં ગરબા યોજાશે. જ્યારે આઠમના રોજ માતાજીના હવનની પૂર્ણાહૂતિ સાંજે 4.30 કલાકે થશે.


28 ઓક્ટોમ્બરના શનિવારે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબિકા માતાજીનું મંદિર ભક્તો અને દર્શનાર્થીઓ માટે સવારે 6.30 કલાકે મંગળા આરતી બાદ 2.30 કલાક સુધી ખુલ્લું રહેશે. ત્યાર બાદ મંદિર ચંદ્ર ગ્રહણને લઈને બંધ થશે તો 29 ઓક્ટોમ્બરના રવિવારે સવારે રાબેતા મુજબ મંદિર ખુલશે. 28 ઓક્ટોમ્બરના આસો સુદ પુનમના શનિવારે અને 27 નવેમ્બરના કારતક સુદ પુનમને સોમવારે સવારે 6.30 કલાકે મંગળા આરતી થશે.આ અંગે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે 7 વાગે આરતી બાદ મંદિર બપોરે 12 વાગ્યે બંધ થશે. બપોરે 12થી 3 દરમિયાન મંદિરના દ્વારની બારીમાંથી દર્શન થઇ શકશે અને બપોરે 3 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે. સાંજે 6.30 કલાકે આરતી શરુ થશે. નવરાત્રિમાં રાત્રિના 12 કલાકે મંદિરના દ્વાર બંધ થશે. નવરાત્રિમાં ચાચર ચોકમાં રાત્રે 9 કલાક બાદ ગરબા યોજાશે. શરદ પૂર્ણિમાએ બપોર 2.30 કલાકે બંધ થશે જે બીજા દિવસે રાબેતા મુજબ સવારે ખુલશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.