હિંમતનગરનો હાથમતી જળાશય ઉનાળાની શરૂઆતમાં ખાલીખમ થઇ જશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાનો હાથમતી જળાશય 100 ટકા ભરાયો હતો. જેને લઈને રવિ સીઝન માટે કેનાલ દ્વારા ખેડૂતોને પાંચ પાણ પૂર્ણ થયા બાદ પાણી બંધ કરવામાં આવ્યું છે. ત્યારે હવે હાથમતી વિયર નજીક નદી પર ઓવરબ્રિજ બનાવવા માટે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ હાથમતી વિયર ખાલીખમ જોવા મળશે.

ચોમસામાં 100 ટકા ભરાયેલા હાથમતી જળાશયમાંથી હિંમતનગર, પ્રાંતિજ, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ખેડૂતોને રવિ સીઝન માટે પાંચ પાણ આપવાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ એક બાદ એક એમ ડિસેમ્બરથી કેનાલમાં તબક્કાવાર પાણ આપવાની શરૂઆત કરી હતી અને 12 માર્ચ સુધીમાં પાંચ પાણ આપવામાં આવ્યા હતા. આમ જેને લઈને પાણ પૂર્ણ થયા બાદ પાણી બંધ કરવામાં આવ્યું છે. તો હાથમતી જળાશયમાં 100માંથી પાંચ પાણ આપવાને લઈને 42 ટકા પાણીનો વપરાશ થયો છે. જેમ અંદાજીત 5 ટકા પાણી પણ બાષ્પીભવન થયું છે.

તો ચાર મહિનાથી વહેતા પાણીથી ભરેલી કેનાલો પાણ પૂર્ણ થતાં હવે ઉનાળા પહેલાં જ કોરી કટ કેનાલો જોવા મળશે. તો બીજી તરફ હિંમતનગરના હાથમતી વિયર નજીક ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરુ કરવાની હોવાથી સિંચાઈ વિભાગને જાણ કરતા સિંચાઈ વિભાગ દ્વારા વિયરમાં ભરાયેલા અઢી ફૂટ જેટલા પાણીને હાથમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને નદી કિનારાના ગામોમાં પીવાના અને ખેતીમાટે બોરકુવાના તળ ઊંચા આવશે. બીજી તરફ નદીમાં વહેતા પાણીને લઈને ઉનાળાના સમયમાં ઢોર ઢાંખરને પણ પીવાના પાણીની રાહત થશે. તો હિંમતનગરનો હાથમતી વિયર ઉનાળાની શરૂઆતમાં ખાલી ખમ થઇ જશે.

આ અંગે હાથમતી વિયર વિભાગના મદદનીશ ઈજનેર કે.આર.પટેલે જણાવ્યું હતું કે, સિંચાઈનું પાણી બંધ થતા કેનાલ ખાલી ખમ થઇ ગઈ છે. તો વિયર નજીક નદી પર ઓવરબ્રિજની કામગીરી શરુ કરવાની છે. તેને લઈને વિયર ખાલી કરવા માટે પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને પાણી ખાલી કરીને તેનો સદુપયોગ પણ થશે અને નદી કિનારાના ગામોમાં બોરકુવાના તળ ઊંચા આવશે. હિંમતનગરથી પ્રાંતિજના સાપડ સુધીના નદી કિનારાના ગામોને ફાયદો થશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.