
હિંમતનગરમાં 19 વર્ષથી સતત ચાલતી નવરાત્રિ મહોત્સવનું આયોજન
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ માં શક્તિ ગ્રાઉન્ડમાં 19માં વર્ષે તાલ ગ્રુપ હિંમતનગર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ચાર દિવસ યોજાતા નવરાત્રિ મહોત્સવમાં ફાગણીઓ ગરબોએ વિશેષતા છે. ત્યારે છઠ્ઠી નવરાત્રિએ અને મહોત્સવના પ્રથમ દિવસે ખેલૈયાઓનું કીડીયારું ઉભરાયું હતું.હિંમતનગર તાલ ગ્રુપના ચિરાગ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગરના મોતીપુરા સૂર્યોદય વિલેજમાંમાં શક્તિ ગ્રાઉન્ડ ખાતે 19 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. શારદીય નવરાત્રિના છઠ્ઠા દિવસથી પ્રારંભ થાય છે જે છેલ્લા ચાર દિવસ ચાલે છે. જેમાં હિંમતનગરના શોરૂમ અને વેપારીઓના સહયોગ તાલ ગ્રુપના યુવાનો દ્વારા આ આયોજન કરવામાં આવે છે. નોમના દિવસે એટલે કે સોમવારે નવરાત્રિ મહોત્સવની પુર્ણાહૂતી સાથે ભવ્ય ફાગણીઓ ગરબો યોજાશે. જે તાલ નવરાત્રિ મહોત્સવ-2023ની અને ગ્રુપની પણ વિશેષતા છે. રોજ 9 વાગ્યે માતાજીની આરતી બાદ ગરબા શરુ થાય છે.
નવરાત્રિના છઠ્ઠા દિવસે અને તાલ નવરાત્રિ મહોત્સવ-2023ના પ્રથમ દિવસે રાહ જોતું યુવાધન ખેલૈયાઓનું કીડીયારું ઉભરાયું હતું. શક્તિ, ભક્તિ અને આરાધનાના મહોત્સવમાં યુવક-યુવતીઓ ઉપરાંત વિવિધ ગ્રુપોએ ટ્રેડીશનલ ડ્રેસ સાથે અલગ અલગ થીમ પર ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રિ મહોત્સવમાં બે તરફ બેઠક વ્યવસ્થા અને મધ્યમાં માતાજીની સ્થાપના અને તેની ફરતે ખેલાયાઓ ગરબે રમે છે. સાથે પ્રવેશદ્વારે શહેરીજનોને આકર્ષવા માટે વિવિધ સેલ્ફી પોઈન્ટો બનાવવામાં આવ્યા છે. આ તાલ નવરાત્રિ મહોત્સવમાં વ્યવસ્થાને લઈને ગ્રુપના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.