શામળાજીના વસાયા પાસે આઈસર ટ્રક પલટી મારતાં 60 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

સાબરકાંઠા
સાબરકાંઠા

શામળાજી પાસે આવેલા વસોયા ગામે આદિવાસી સમાજના લોકો વસાયા થી બ્રહ્મપુરી મરણ પ્રસંગમાં લોકચારે જવા આયશર ટ્રકમાં.નીકળ્યા હતા. ટ્રકમાં લગભગ 60 કરતાં પણ વધુ મુસાફરો ભરેલા હતા. ત્યારે ગામથી બે કિલોમીટર દૂર ગયા પછી ડુંગરાળ વિસ્તારમાં ટ્રક ડ્રાયવરે એકાએક ટ્રક પરથી કાબું ગુમાવતા ટ્રક પલટી હતી. અકસ્માતમાં તમામ 60 થી વધુ મુસાફરો એકબીજા નીચે દબાયા હતા અને તમામ ઇજાગ્રસ્ત થયા હતા.

આ તમામ ઇજાગ્રસ્તોને 108 અને શામળાજી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં શામળાજી સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધારે ઇજા થઇ હોય તેવા મુસાફરોને હિંમતનગર રીફર કરાયા છે. ત્યારે ટ્રકની કેપેસિટી કરતા ઓવરલોડ મુસાફરોના કારણે કેટલીક વખત મોટી દુર્ઘટનાનો ભોગ બનવું પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.