હિંમતનગરમાં મોબાઈલ અને પાનની દુકાને મતદાન જાગૃતિના બોર્ડ લગાવ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની બીજા તબક્કામાં ચૂંટણીનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવવાનું છે. ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા વધુ મતદાન થાય તેને લઈને વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાવામાં આવી રહ્યું છે. ત્યારે આ જાગૃતિ અભિયાનમાં નાગરિકો પણ પોતાની રીતે સહયોગ કરી રહ્યાં છે.

ચૂંટણીમાં વધુ મતદાન થાય તેને લઈને જાગૃતિ રેલી સહિતના વિવિધ કાર્યક્રમો ચુંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હિંમતનગરમાં પાનના અને મોબાઈલના દુકાનદાર પણ આ લોકશાહીના પર્વમાં મતદારોને મતદાન કરવા માટેનો સંદેશો પોતાની દુકાનમાં લગાવ્યો છે અને આવનારા ગ્રાહકોને પણ કહી રહ્યાં છે કે મતદાન અવશ્ય કરજો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.