રાજગોળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
(રખેવાળન્યૂઝ)સાબરકાંઠા,
મેઘરજ તાલુકાના રાજગોળ ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા જીવાભાઇ બદાભાઈ ખરાડી વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં હોય તેમનો નિવૃત્તિ વિદાય સમારોહ ધનજીભાઈ ખોખરીયાના પ્રાથમિક શિક્ષણ મહાસંગ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. વર્ષ ૧૯૮૮ રાજગોળ ગામે શિક્ષક તરીકે જાેડાયા હતા અને ૨૦૨૧ સતત ૩૩ વર્ષ અને ૩ મહીના રાજગોળ પ્રાથમિક શાળામાં જ રહ્યા સને ૨૦૦૪થી મુખ્ય શિક્ષક તરીકે કાર્યરત રહી શિક્ષણની ધૂણી ધખાવી હતી. આજે યોજાયેલા તેમના વિદાય સમારંભમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય નરેશ ડામોર આદિવાસી સમાજના અગ્રણી સુરેશ કટારા રાજગોળ સરપંચ દક્ષાબેન ભગોરા મેઘરજ પંચાયત સરપંચ સાંજાભાઇ ડામોર.મહામંત્રી પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ, મેઘરજના .પરેશ પટેલપ્રમુખ, પ્રાથમિક શિક્ષક સંઘ, મેઘરજના બાબુ ડામોર પૂર્વ પ્રમુખ યુનુસ ખબરાટ પ્રાથમિક શિક્ષક સંઘ, મેઘરજના રામજીભાઈ નિનામા.આદિવાસી શિક્ષક એસોસેસિયન મેઘરજના પ્રમુખ હરેશભાઇ ડામોર
ઉપરાંત કેન્દ્ર શાળા અને આજુબાજુની શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને ભારે હૈયે વિદાય આપી હતી. સૌએ તેમનું નિવૃત્તિ બાદનું જીવન સુખદાયી અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યુ હતું કે સૌથી વધુ જવાબદારી ભરી નોકરી હોય તો તે શિક્ષકની છે. તે ક્યારેય નિવૃત્ત નથી થતો પરંતુ નિવૃત્તિ બાદ પણ તે પોતાનું શિક્ષણ અને સમાજ સાથે જાેડાય તે પોતાની બાકીની જીદંગી પ્રવૃતિમય બનાવતો હોય છે. તેમણે જીવાભાઇને આગામી જીવન સુખ અને શાંતિ આપનારું નીવડે એવી શુભેચ્છા પાઠવી હતી.