ખેડબ્રહ્મા તાલુકાના BSF જવાન ત્રિપુરામાં શહીદ

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા તાલુકાના એક ગામનો BSF જવાન ત્રિપુરામાં માં ભોમની રક્ષા કરતાં શહીદ થયાનું સામે આવતાં ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ત્રિપુરાના ફરજ બજાવતા બે જવાન શહીદ થયા છે. તેમાં એક જવાન ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મા તાલુકાના ગામનો છે. BSF જવાન ફરજ દરમ્યાન શહીદ થતાં સમગ્ર દેશ સહિત ગુજરાત અને ખાસ કરીને તેમની આસપાસના ગ્રામ્ય પંથકમાં શોકની લાગણી છવાઈ છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈગઢા રબારી ભરતભાઇ રામજીભાઇ નામના યુવક BSF જવાન તરીકે ફરજ બજાવતાં હતા. જ્યાં ગત દિવસોએ ત્રિપુરામાં માં ભોમની રક્ષા અને પોતાની ફરજ દરમ્યાન તેઓ શહીદ થયા છે. તેમની સાથે અન્ય એક જવાન પણ શહીદ થયા હોવાનું સામે આવ્યુ છે. ભરતભાઈના શહીદીના સમાચાર સાંભળતાં જ આસપાસના ગામના લોકો , સમાજના આગેવાનો અને તેમજ કુંટુંબીજનો પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. માં ભોમની રક્ષા કાજે શહીદ થનાર જવાન પરિવારનો મોભી હતો. શહીદનો નશ્વર દેહને અંતિમ સંસ્કાર તેમના ગામમાં આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.