સાબરકાંઠામાં વધુ એક કોરોનાનો દર્દી નોંધાતા જિલ્લામાં કુલ ૯૩ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં મંગળવારના રોજ વધુ એક કોરોનાનો કેસ નોંધાયો હતો. જેમાં હિંમતનગર શહેરના મારુતીનગર સોસાયટી વિસ્તારના ૫૮ વર્ષિય પુરૂષનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે સાબરકાંઠા જિલ્લામાં વધુ ત્રણ કોરોનાના દર્દીઓને કોરોના મુક્ત બની ઘરે પરત ફર્યા હતા. જેમાં તલોદ તાલુકાના બાદરજીના મુવાડાના ૨૬ વર્ષિય યુવક અલ્પેશકુમાર રાઠોડ અને સવાપુરના ૨૩ વર્ષિય યુવક ગજેન્દ્રસિંહ ઝાલા અને હિંમતનગરના ગાંભોઇની ૧૪ વર્ષિય કિશોરી પંછીબેન પટેલે કોરોનાને માત આપતા આજે તેઓને ઘરે જવા રજા અપાઇ હતી. આ ત્રણે દર્દી સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હતા.
જિલ્લામાંથી અત્યાર સુધીમાં કોરોનાના ૯૩ દર્દી નોંધાયા છે જેમાંથી ૮૨ દર્દી કોરોના મુક્ત થયા છે. હાલ ૮ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે ૩ કોરોના દર્દીના દુખદ અવસાન થયા હતા.
Tags corona sabrkantha