સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના નવા ત્રણ કેસ નોંધાયા

અરવલ્લી
અરવલ્લી

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં તા. ૩૦ મેના રોજ નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. વિજયનગર તાલુકામાં બે કેસ અને ઇડર તાલુકા એક એમ નવા કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ નોધાયા હતા.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના શનિવારે આવેલા રીપોર્ટ અનુસાર જિલ્લામાં વધુ નવા ત્રણ કેસ સામે આવ્યા હતા. જેમાં વિજયનગર તાલુકાના પરવઠ ગામના ૧૮ વર્ષિય યુવક, કોડિયાવાડા ગામના ૨૯ વર્ષિય પુરૂષ તેમજ ઇડર તાલુકાના કાનપુર ગામના ૩૭ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ કોરોનાના નવા ત્રણ કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૯૧ કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.