પ્રભુ અને ર્ટાકન વાહ !
લોકો પોતાના સંતાનોની લગ્નની કંકોતરી ભગવાનના મંદિરે મૂકે છે. ઘરનું વાસ્તુ, દુકાનનું ઉદઘાટન વેળાની કંકોતરીઓ ભગવાનના મંદિરે જઈને મૂકી આવે છે. લોકોની એક ગણતરી હોય છે કે ભગવાન આ શુભ પ્રસંગે પધારે અને લગ્ન કે અન્ય શુભ પ્રસંગ રંગેચંગે ઉકેલાય પણ એવું હોય છે કે થાય છે. એની ખબર નથી.એમ તો ભગવાન શ્રીકૃષ્ણ ગીતાના એક અધ્યાયતા શ્લોકમાં કહ્યું છે કે હું અધર્મનો નાશ કરવા દુષ્ટોને કચડવા માટે હું આવું છું અર્થાત પૃથ્વી પર અવતાર ધારણ કરૂ છું પણ પ્રભુને એકેવાર આવીને આવા દુષ્ટોનો સફાયો નથી કર્યો. દુષ્ટો વકર્યા છે. નજીકના ભવિષ્યમાં આવે એવા કાંઈ ચિહનો જણાતા નથી.એવું જ કંઈક આ કંકોતરી ઓનું કહી શકાય ખરું.
ભગવાનના મંદિરમાં કંકોતરી મૂકી તો ખરી પણ ન આવ્યો છે ન આવશે.. ના પતંગમાં બેસીને ભોજન લેશે કે બુફેમાં હાથમાં ડિશ રાખીને ફરતાં ફરતાં ભોજન કરશે.
લોકો કંકોતરી મૂકે છે. મંદિરમાં આવી કંકોતરીઓનો ઢગલો જાેઈને ક્યાંક પુજારી કહે છે. ભગવાન ક્યાંય જતાં નથી. અને એમને લોકો કંકોતરીઓ આપે છે. જ્યારે હું લગ્નમાં જવા.. ભોજન કરવા તલ પાપડ છું પણ મને કોઈ કંકોતરી નથી આપતું નથી કોઈ કહેતું કે પુજારીજી જમવા આવજાે.ફળસ્વરૂપ પૂજારીને એક આકાશ છે.પણ એય જાણે છે કે પ્રભુ સામેનો આક્રોશ શા કામનો..વિષ્ણુંના એક મંદિરમાં ઢગલાબંધ કંકોતરી આવીને પડી હતી. એક રાતે ભગવાનને થયું લોકો બિચારા શ્રધ્ધા સાથે કંકોતરી મૂકી જાય છે. અને હું જતો નથી. એ ઠીક નથી.મારે જવું જાેઈએ.. અને મંદિરની અંદરના ગોખલામાં પડેલી એક કંકોતરી ઉઠાઈ વાંચી..એના લગ્નમાં જવાનું ભગવાને નક્કી કર્યું..પણ પ્રભુને થયું માનવ વસ્તીમાં એકલા જવામાં માલ નથી. નારદને બોલાવવાં જ પડશે. એ હશે તો ઠીક રહેશે. એક થી બે ભલા. અને રાત્રે બાર વાગે ભગવાન વિષ્ણુએનારદને તત્કાલ હાજર થવા આદેશ કર્યો. સામાન્ય રીતે કાંઈ માણસને અડધી રાત્રે બોલાવવો-હાજર થવાનું ઠેરવાનું ઠીક નથી.. ક્યાંક લોચા માર્યો હોય ક્યાંક કાંઈ ટપકી ગયો હોય.. આ તરફ નારદને વિષ્ણુ ભગવાન ભણી ભારે રોષ થયો. એમણે વિચાર્યું ભગવાન આખો દિવસ તો હડીયાપટ્ટી કરાવે છે..રાત્રે પણ જમવા દેતા નથી. આ પ્રકાનાં જાત જાતના કામ કરાવે તો ભગવાન તો શું માણસનો પણ ખાટલો થઈ જાય…
પરંતુ આખરે બોસનો આદેશ કોઈ કર્મચારી ઉળખ શકતો નથી એમ નારદજી અડધી રાત્રે પણ ના પડી ન શક્યા. જઈને ઉભા.
શું છે..સવાલ પૂછી બેઠા..એમના બોલવાનો ઢંગ જરા જુદો હતો.. વિષ્ણુજીએ આંખો રાતી કરી અને નારદના તેવર બદલાયા કરો..અત્યારે શું કામ પડ્યું ?
એ પછી વિષ્ણુજીએ લગ્નની કંકોતરી બતાવી. શું છે આનું ?જવાનું છે. ક્યાં ? લગ્નમાં
એમા આપણુ કામ નથી. એ બધુ પથવી વાસીઓને શોભે.. નારદજીએ કહ્યું
પણ આ વખતે જવાનું છે. ભોજન કરવાનું છે. ભોજન માટે નીચે પૃથ્વી પર જશો. શીરો ભાળીને કાંઈ..થશો.
મને શિખામણના આપ. કહેવતો ના કહે આ તો ભક્તો બિચારા અવાર નવાર લગ્નની કંકોતરી મૂકી જાય છે.આપણે જવું જાેઈએ એકના ઘેર જઈશું, એટલે લોકો જાણશે કે પ્રભુ પધાર્યા હતા.’
પ્રભુ આપની વાત સાચી છે પણ.. બે વચ્ચે સંવાદ અટક્યો. થોડીવાર શાંતી રહી એટલે નારદે કહ્યું.લગ્નમાં જમવા જવાની તમોને ઈચ્છા થઈ છે ત્યારે હું એક વાત કહેવા માગું છું.
કઈ વાતલક્ષ્મી માતાને લઈ જાવને..તમારી સાથે તો એ શોભે. કોઈ હું થોડો શોભવાનો હતો. જાણે નારદે દુખતી નશ પર દબાણ કર્યું. વિષ્ણુજી ખામોશ થઈ ગયા.
પાછી કેટલીક ક્ષણો પસાર થઈ. એટલે નારદજીએ આગળ કહ્યું.પુરૂષની જાેડે સ્ત્રી શોભે લગ્નમાં તો ભોજનમાં તો પત્નીને સાથે લઈ જવાનો સમય છે. વાતો ચાલી.વાસ્તવમાં નારદજીની જવાની ઈચ્છા ન હતી. એ તો ઈચ્છતા હતાં કે એ બે જણ જાય.જ્યારે વિષ્ણુજી લક્ષ્મીજીને પોતાની સાથે લઈ જવા ઈચ્છતા ન હતાં એમને એક ડર હતો. આજકાલ પૃથ્વીના મોટા ભાગના માણસો લક્ષ્મી પાછળ ગાંડા થયા. આંધળુ કરીને-ઉઘુ બોલીને દોડવા માંડ્યા છે..ક્યાંક લોકોને ખબર પડી જાય કે આ તો લક્ષ્મી છે પછી..પ્રભુને યાદ હતુ અને તેથી જ લક્ષ્મીજીને લઈ જવા માંગતાં ન હતાં.
ત્યાં તો નારદે કહ્યું-પ્રભુ તમારાથી જાે લક્ષ્મીમાતાને વાત થઈ શકતી ના હોય તો હું કરું-નારદે જાણે એક હદ વટાવી હોય એવો ઘાટ થયો. અલ્પા શું માંડ્યું છું હું તને સાથે લઈ જવાની વાત કરું છું ત્યાં તું…વાતોમાં સંવાદોમાં ઘડિયાળ એનો સમય બતાવતી રહી.
અઢી થયા.હવે નક્કી કરો શું કરવાનું છે. એ ઉંઘ ચડી છે..કરી ત્યાંય નારદે કંકોતરી વાંચી એમાં ભોજન સમારંભ અંગાના બોક્સમાં એક વ્યક્તિ પર ઠીક મારી હતી..
ત્યાં તો નારદજીએ કહ્યું તમે મને ભોજન માટે લઈ જવાનું કહી રહ્યા છો પણ કંકોતરીમાં તો એક વ્યક્તિ એ જ જમવા આવવાનું સૂચન છે. જ્યાં એકનું સૂચન હોય ત્યાં બે ક્યાંથી જઈશું ?
એ તો જઈશું. કઈ રીતે ? ધૂસ મારીશું…
ભગવાન થઈને ધૂશ મારશો.. હાં.. જાેઈએ તો ધૂસ મારતાં શું ફાયદો થાય છે..
આખરે નક્કી થયું.
રવિવારે નવથી બાર વાચ્ચે ભોજન સમારંભ હતો- એમા જવું..
હાના હાના.. માસા મેણાં કતાં બાર વાગી ગયા. અને પહોચ્યાં… પણ ..કંકોતરીમાં જેનું નામ હતું એનો સમારંભ હજુ ચાલતો હતો-રસોઈ બની જ ન હતી. અને ભગવાન કેવા ભગવાન અને નારદજીને અંદર પ્રવેશના મળ્યો.. કારણ કે પહેલાવાળાએ પોતાના ત્યાં ભોજન કરનારાઓને ટોકન આપી રાખ્યા હતાં.