Headlines 24-08-2020 | Rakhewal

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠા જીલ્લામાં આજે સોમવારે પણ મેઘ મહેર યથાવત રહી : અનેક સ્થળે મધ્યમથી ભારે વરસાદ.

અંબાજી મંદિરના દરવાજા ૧૨ દિવસ સુધી બંધ : ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ૩૦૦ વર્ષની પદયાત્રાની પરંપરા તુટશે ; ભાવિકો સોશ્યલ મીડિયાના માધ્યમથી દર્શન કરી શકશે.

ડીસામાં માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું : ગૌમાતાની તસ્કરી તેમજ ગૌહત્યા રોકવાની માંગ કરાઈ.

ડીસાના જીઆઈડીસી વિસ્તાર પ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન : સફાઈ, લાઈટ અને ગટરની પાયાની સુવિધાનો પણ અભાવ.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા : સુપડાધાર, જોડિયામાં 14 ઈંચ, મોરબીમાં 10 ઈંચ, રાજકોટ જિલ્લામાં 6 ઈંચ, મચ્છુ ડેમ ઓવરફ્લો, ઘરોમાં પાણી ઘૂસ્યા, પાકોને નુકસાન.

ગુજરાત હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ, તમામ સરકારી અને સિવિલ હોસ્પિ.ની મુલાકાત લેવા પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓની કમિટીની રચના કરો.

15 સપ્ટેમ્બર આસપાસ વિધાનસભાનું ટૂંકું ચોમાસું સત્ર બોલાવવાની હિલચાલ, કોરોના, વરસાદ અને રાજ્યની સ્થિતિની ચર્ચા થશે.

વિજ્ઞાનીએ કહ્યું – લા નિનોની અસરથી આ વર્ષે સપ્ટેમ્બર સૌથી વધુ વરસાદ પડનાર મહિનો થશે, દક્ષિણના રાજ્યોમાં તીવ્ર ઠંડી પડશે.

હવે રૂ. 40 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા વેપારીઓને GSTમાંથી મુક્તિ, અગાઉ આ મર્યાદા 20 લાખ હતી.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે નક્શો પાસ કરાવવામાં ટ્રસ્ટ જોડાયું, તેમાં 2 કરોડથી વધુનો ખર્ચ ; ગડકરીના મંત્રાલયના સચિવે તાંબાની 8 પટ્ટીઓ મોકલી.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું – ચીન વાતચીતથી નહીં માને તો સૈન્ય વિકલ્પ પણ તૈયાર : ઘણાં રાઉન્ડની વાતચીત પછી પણ ચીન લદ્દાખના ફિંગર એરિયા, દેપ્સાંહ અને ગોગરાથી પીછે હટ નથી કરતું.

ફેરફારની માંગ કરનારા નેતાઓને રાહુલે કહ્યું – ચિઠ્ઠી ભાજપની મિલીભગતથી મોકલવામાં આવી, આઝાદે કહ્યું – આરોપ સાચા સાબિત થશે તો રાજીનામું આપી દઈશ.

કોરોના કાળમાં મુંબઈના ગણેશોત્સવનું સ્વરૂપ બદલાયું, પ્લાઝ્મા-બ્લડ કેમ્પ શરૂ કરાયા, પંડાલ ખાલી, સ્ક્રિન પર દર્શન.

સાઉથ કોરિયાના ઓફિસરે કહ્યું – નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન કોમામાં, બહેને દેશની કમાન સંભાળી.

રશિયાના વિદેશમંત્રીએ કહ્યું – 5જી નેટવર્ક બાબતે ચીન સાથે સહયોગ કરવા માંગીએ છીએ, અમેરિકાએ ખોટો રસ્તો પસંદ કર્યો.

ન્યૂયોર્કમાં લોકોની જીવનશૈલીમાં પરિવર્તન, કંપનીઓની ઓફિસ બિલ્ડિંગની છત પર શરૂ થઈ, હજારો રેસ્ટોરન્ટ-બાર સડક પર ચાલે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.