અંબાજી : અંબાજી-હડાદ માર્ગ પર આજે બપોરે એક વેગેનાર કાર રોડ સાઇડનાં ડિવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકી સહિત બે નાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા અને પાંચ વ્યક્તીઓને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદનો કૌસલ પરીવાર અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે હડાદ નજીક મચકોડા ગામ પાસે રોડ સાઇડનાં એક ડિવાઇડર સાથે કાર ધડાકાભેર અથડાતાં કારમાં બેઠેલાં સાત મુસાફરો પૈકી લક્ષ્મીબેન કૌશલ ઉં.વ. 53 અને સાક્ષીબેન કૌશલ ઉં. વ. 07ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય પાંચ મુસાફરોને ઇજાઓ થતાં તેમને અંબાજીની કોટેજ હોસ્પીટલ લઇ જવાયાં હતા. જેમાં ચારને વધુ ગંભીર ઇજાઓ થતાં તેમને પાલનપુર ખસેડવામાં આવ્યા છે. બન્નેનાં મૃતદેહને દાંતા રેફરલ હોસ્પીટલમાં પોસ્ટમાર્ટમ માટે લઇ જવાયા છે. ઘટનાની વધુ તપાસ હડાદ પોલીસ ચલાવી રહી છે.