રાજસ્થાન અને ગુજરાતની સરહદ વિસ્તારમાં વસેલા અંબાજી શહેરની બજારોમાં રેલવે બીસ્લેરી કંપનીના પાણીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ અને આમ જનતા સાથે છેતરપિંડી થઈ રહી છે. રેલવે બીસ્લેરી પાણીની કિમંત ૧૫ રૂ. છે અને વસુલવામાં આવે ૨૦ રૂ છે. હવે સવાલ એ છે કે રેલવે બીસ્લેરીનું પાણી રેલવેમાં મુસાફરી કરવાવાળા મુસાફરો માટે હોય છે અને ફક્ત રેલવે સ્ટેશન ઉપર જ વેચાવું જોઈએ તેવી શરત હોય છે. તો આ પાણી અંબાજીની બજારોમાં આવ્યું ક્યાંથી રેલવે અધિકારીઓ અને વેપારીઓની મિલીભગતથી આવું થઈ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ બાબતને લઈને લોકોના મનમાં ક્યાંકને ક્યાંક ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. લોકોની સાથે અન્યાય અને દગો થઈ રહ્યો હોવાની લાગણી લોકોના મનમાં ઉભી થઈ રહી છે. તેથી લોકોનું માનવું છે કે આ બાબતે રેલવે તંત્ર યોગ્ય તપાસ કરી આવા કૌભાંડ સાથે સંકળાયેલા રેલવે અધિકારીઓ અને વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે અને પાઠ ભણાવો જોઈએ.