દેશમાં ૪ વર્ષમાં ૬૦ વર્ષ જેટલી સફાઈ ઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે સ્વચ્છતા હી સેવા અભિયાનના કાર્યક્રમને સંબોધન કરતા દાવો કર્યો હતો કે ચાર વર્ષના ગાળામાં જેટલી સફાઇ થઇ છે તેટલી સફાઇ ૬૦ વર્ષમાં કરવામાં આવી હતી. મોદીએ આ ગાળા દરમિયાન અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન તાતા સાથે પણ વાત કરી હતી. મોદીએ કહ્યુ હતુ કે અમે ચાર વર્ષમાં જે લક્ષ્ય હાંસલ કરી ચુક્યા છીએ  જે અગાઉ ૬૦ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યા હતા. મોદીએ આજે દાવો કર્યો હતો કે સ્વચ્છતાને લઈને કવરેજનો આંકડો જે કદી ૪૦ ટકા હતો તે હવે ૯૦ ટકા સુધી પહોંચી ગયો છે. મોદીએ ઉમેર્યું હતું કે કોઈએ ક્યારેય આવું વિચાર્યું નહીં હોય કે સ્વચ્છતાના મામલામાં અમે આટલી પ્રગતિ કરી લઈશું. છેલ્લા ૬૦ થી ૭૦ વર્ષમાં સ્વચ્છતાના મામલામાં જેટલી પ્રગતિ થઈ નથી તે પ્રગતિ માત્ર ચાર વર્ષના ગાળામાં થઈ છે. ચાર વર્ષના ગાળામાં જ આઠ કરોડ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઈએ એવું વિચાર્યું નહીં હશે કે ૪.૫ લાખ ગામો, ૪૫૦ જિલ્લાઓ અને ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખુલ્લામાં શૌચ પ્રક્રિયાથી મુક્ત થઈ શકે છે.  મોદીએ આ ગાળા દરમિયાન સામાન્ય લોકોની સાથે અભિનેતા અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન તાતા સાથે વાતચીત કરી હતી. વિડિયો કોન્ફેરેન્સિંગ મારફતે મોદીએ વાત કરી હતી. મોદીએ આધ્યાÂત્મક ગુરૂ જગ્ગી વાસુદેવ સાથે પણ વાત કરી હતી. અમિતાભ બચ્ચને મોદીને આ અભિયાન માટે ક્રેડિટ આપતા કહ્યુ હતુ કે જા તેમના ચહેરા અને બુદ્ધિથી સરકાર પ્રચાર કરી રહી છે તો એટલુ પુરતુ નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.