અમુલે દુધના ખરીદ ભાવમાં ઘટાડો કર્યો, જાણો કેટલો ઘટાડો કરવામાં આવ્યો?

અમુલ દ્વારા દૂધનાં ખરીદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મુદ્દે ચેરમેન રામસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, “દૂધનાં ભાવ ઘટાડાનું કારણ દૂધની વધારે આવક છે. 30 રૂપિયા પૈકી 20 રૂપિયા ખેડૂત-પશુપાલક માટે બચતમાં રહેશે. ખેડૂતોને માત્ર 10 રૂપિયા ઓછા મળશે. અત્યારે 28 લાખ લીટર દૂધની આવક અમુલમાં થાય છે. અન્ય દૂધ સંઘો કરતા અમુલનો ભાવ સૌથી વધુ છે. અન્ય સંઘોનાં ભાવ 600ની અંદર છે.”
 
તો અમુલનાં ભાવ ઘટાડા પર કૉંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ કહ્યું કે, “ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોને લાભ મળે તે માટે અમુલની સ્થાપના થઈ હતી. પશુપાલનનો વ્યવસાય મોંઘો થઈ રહ્યો છે. દૂધ સંઘો ખાનગી કંપનીની માફક કામ કરી રહ્યા છે અને તેના કારણે પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. ગ્રાહકોને આનો લાભ મળી રહ્યો નથી. વચ્ચેની મલાઈ કોણ ખાઈ રહ્યું છે તેની તપાસ થવી જોઇએ.”
 
ઉલ્લેખનીય છે કે અમુલે ગાયનાં દૂધ ખરીદ ભાવમાં 8.90 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો ભેંસનાં દૂધ ખરીદ ભાવમાં રૂપિયા 20નો ઘટાડો કર્યો છે. પહેલા પ્રતિકિલો ફેટે 610 રૂપિયા મળતા હતા. તો હવે પશુપાલકોને રૂપિયા 590 રૂપિયા ચુકવવામાં આવશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.