મહેસાણા : મહેસાણાના સ્વાતિ બંગ્લોઝમાં રહેતી અંકિતા બારોટ (૨૮)એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેને અને તેના પતિ સૌરભ બારોટને ચાર લોકોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા એક શોપિંગ મોલમાં અંકિતા અને તેનો પતિ કપડાની ખરીદી માટે ગયા હતા. આ દરમિયાન અંકિતાએ કેટલાક કોસ્ચ્યૂમ પસંદ કર્યા હતા અને તે ટ્રાયલ રૂમમાં ટ્રાય કરવા માટે ગઈ હતી. થોડી વાર પછી તે એક ટોપ પહેરીને બહાર આવી હતી અને પતિનો અભિપ્રાય માંગવા જઈ રહી હતી. અંકિતાએ પોતાની પાસેનું પર્સ ટ્રાયલ રૂમમાં જ મુક્્યું હતું. તે જ્યારે ચેન્જરૂમની બહાર આવી તો તેણે જાયું કે બે મહિલા ટ્રાયલ રૂમની બહાર ઊભી હતી જેથી અંકિતાએ તેમને જણાવ્યું કે તેનું પર્સ અંદર હોવાથી રૂમમાં જવું નહીં.
અંકિતાનો પતિ સૌરભ પણ ટ્રાયલ રૂમ નજીક આવ્યો હતો અને બન્ને મહિલા તેની સાથે પણ જીભાજાડી કરવા લાગી હતી. માહોલ ઉગ્ર બનતા અંકિતા અને તેનો પતિ મોલમાં અન્ય સ્થળે જતા રહ્યા હતા. જા કે આ બન્ને મહિલાઓ પણ પાછળ પાછળ આવી હતી અને દંપત્તિ સાથે ઝઘડવા લાગી હતી.
અંકિતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ એક મહિલાએ તેના પતિનું ટી-શર્ટ પકડીને તેને ખેંચ્યો હતો જ્યારે અન્ય મહિલાએ મારું ટોપ પકડીને મને પણ ખેંચી હતી. આ બન્ને મહિલા સાથે આવેલા બે પુરૂષો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે મારા પતિને ગુદાના ભાગે પાટું માર્યું હતું. વસ્ત્રાપુર પોલીસે બન્ને મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી હતી.