અંબાજી અમીરગઢ પંથકમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

બનાસકાંઠા જિલ્લામાં તા. 5 જૂનની રાત્રે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા બાદ આજે બપોરે 4.17 કલાકે ફરી અંબાજી અમીરગઢ પંથકમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનું એપી સેન્ટર પાલનપુરથી ઉતરે વિરમપુર નજીક ભાયલા ગામ પાસે નોધાયું છે. અગાઉ પણ આ જ સ્થળે ભૂકંપનું એપી સેન્ટર હતું. જોકે, ઓછી તીવ્રતા હોવાથી તેનો વધુ અનુભવ થયો નથી. એક તરફ ગુજરાતમાં ભયંકર વાવાઝોડાની આગાહી વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ડરની લાગણી પ્રસરી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.