મોડાસાના દધાલિયા પાસે મુસાફરો ભરેલી એસટી બસ પલ્ટી ઃ મુસાફરોનો આબાદ બચાવ
મોડાસા
અરવલ્લી ફરી એક વખત ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (એસટી)ની બસને અકસ્માત નડ્યો છે. આ વખતે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા પાસે ૫૦થી વધારે મુસાફરો ભરેલી બસ પલટી ગઈ છે. જાકે, સદનસિબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મળી રહેલી માહિતા પ્રમાણે આ બસ ઈસરીથી મોડાસા આવી રહી હતી. આ દરમિયાન રસ્તો સાંકડો હોવાને કારણે બસને અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઇવરે સામેથી આવી રહેલી બાઈકને રસ્તો આપવા જતાં બસ પલટી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલી બસમાં વિદ્યાર્થીઓ સહિત ૫૦થી વધારે મુસાફરો સવાર હતા. આ તમામ મુસાફરો સલામત હોવાની માહિતી મળી છે. બીજી તરફ એવો પણ દાવો કરાયો છે કે ડ્રાઇવરે Âસ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત નડ્યો છે. આ પહેલા ધોળકા અને જૂનાગઢ શહેરમાં એસટી
આભાર - નિહારીકા રવિયા બસને અકસ્માત નડી ચુક્્યો છે. ગત મહિના જૂનાગઢમાં એસટી બસ એક પાનની દુકાનમાં ઘૂસી ગઈ હતી. બે મહિના પહેલા ધોળકામાં એસટી બસ રોડની ડિવાઇડર કુદાવીને નીચે ઉતરી ગઈ હતી. આ બંને ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.