બનાસકાંઠા: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. જિલ્લા વહીવટી તંત્રએ આગોતરા આયોજન મુજબ આવનારી મુસીબતને પહોંચી વળવા માટે NDRFની ત્રણ ટીમો ઉતારી છે. NDRFની ત્રણ ટીમોમાં કુલ 33 જવાનો ઉતારવામાં આવ્યા છે. ભારે વરસાદ અને વાવાઝોડાની મુસીબતને પહોંચી વળવા માટે એનડીઆરએફ ટીમના જવાનો લાઇફ જેકેટ, બોટ, વુડન કટર તેમજ ડિઝાસ્ટરને લગતા જુદા જુદા સાધનો સાથે પાલનપુરમાં ત્રણ દિવસ માટે રોકાણ કરશે.