લોકસભામાં ભારે વિરોધ વચ્ચે નાગરિકતા સુધારા બિલ પસાર

ન્યુ દિલ્હી
લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સુધારણા બિલ રજૂ કરતાની સાથે જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. આ બિલને સંસદમાં રજૂ કરવું કે નહીં તે માટે લગભગ એક કલાક સુધી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. વિપક્ષ દ્વારા બિલને લઘુમતી વિરોધી હોવાનો આરોપ લગાવવા પર શાહે ૧૯૪૭માં દેશના ભાગલાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. 
નાગરિક સુધારણા બિલ અંગે સ્પષ્ટતા કરતા અમિત શાહે કÌšં કે આ બિલ કોઈ પણ પ્રકારે અલ્પસંખ્યકોની વિરુદ્ધનું નથી. આ બિલ ૦.૦૦૧ ટકા પણ લઘુમતીઓની વિરોધમાં નથી. જા કોંગ્રેસ ધર્મના નામ પર દેશના ભાગલા ન કરતી તો કદાચ નાગરિકતા સુધારણા બિલની જરૂર જ ન હોત. 
અમિત શાહે દેશના ભાગલા તો કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે, અમે નહીં. તેમણે જા ધર્મના નામે દેશના ભાગલા ન કરાવ્યા હોત તો આજે પરિÂસ્થતિ કંઈક અલગ જ હોત. પાડોશી દેશોમાં મુસલમાનો વિરુદ્ધ ધાર્મિક દમન નથી થતું, તેથી આ બિલનો લાભ તેમને નહીં મળી શકે. અને જા ભવિષ્યમાં ક્્યારેય આવું થશે તો સરકાર તેમને પણ આનો લાભ આપવા માટે ખુલ્લા મને વિચાર કરશે.  
લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ રજૂ કરવાની બાબતે મતદાન થયું હતું. લોકસભામાં આ દરમિયાન કુલ ૩૭૫ સાંસદોએ મતદાન કર્યું. આ બિલને રજૂ કરવાના પક્ષમાં ૨૯૩ મત અને વિરોધમાં ૮૨ મત પડ્યા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.