પીએમ મોદી આજથી ૨ દિ' ગુજરાતમાં: અનેક સભાઓ ગજવશે

ગુજરાતમાં ભાજપને તમામ ૨૬ બેઠકો જીતાડવાના આયોજન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેઓ કાંટેકી ટકકર ગણાતી બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફ માહોલ ઉભો કરવા પ્રયાસ કરશે. આજે રાત્રી રોકાણ ગાંધીનગરમાં કરી પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણી રણનીતી ઘડે તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ હવે ગુજરાતની તમામ સીટો પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની પકડ મજબૂત જણાતી લોકસભા સીટો પર ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કર્યું છે. માટે પીએમ મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં જાહેર સ્થળોએ સભાઓ ગજવી ભાજપના ઉમેદવારો માટે મતદાન કરવા માટે લોકોને અપીલ કરશે.  
પીએમ મોદી આજથી ગુજરાતના ૨ દિવસના પ્રચારે આવશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં પીએમનો ઝંઝાવાતી પ્રચાર કરીને ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. ભાજપ તમામ ૨૬ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે આગળ વધશે. આજે બપોરેના સમયે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જયાંથી હેલિકોપ્ટર મારફત હિંમતનગર જવા રવાના થશે અને સભાને સંબોધન કરશે. હિંમતનગરમાં સભા કર્યા બાદ પીએમ સાબરકાંઠા બેઠક માટે મત માંગશે. ઉત્તર ગુજરાતમાં ભાજપે તમામ ૪ બેઠકો જીતવા કમર કસી છે. જેના માટે ટૂંકાગાળામાં પીએમની ૨ સભાઓનું ઉત્તર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું છે. હિંમતનગરમાં સભા સંબોધ્યા બાદ પીએમ મોદી સુરેન્દ્રનગર પહોચશે. જયાં તેઓ સુરેન્દ્રનગર લોકસભા માટે પ્રચાર કરશે. સુરેન્દ્રનગરની સભા કર્યા બાદ પીએમ મોદી મોડી સાંજે આણંદમાં જનસભાને સંબોધન કરશે. આણંદ અને ખેડા લોકસભાના ઉમેદવારો માટે વલ્લભ વિદ્યાનગર ખાતે સભા સંબોધશે. કોંગ્રેસની મજબૂતી વાળી બેઠકો પર પીએમ મોદીની સભાઓ ગોઠવવામાં આવી છે. કોંગ્રેસ આણંદ અને સુરેન્દ્રનગર બેઠક જીતવા માટે આશ્વાસ્ત છે ત્યારે પીએમની સભાઓ ત્યાં થઇ રહી છે. જયારે બીજા દિવસે એટલે કે ૧૮મીએ સવારે પીએમ મોદી અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. જયાં કોંગ્રેસ તરફથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં છે . ગઇકાલે જ પરેશ ધાનાણીના સમર્થનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જંગી સભા સંબોધી હતી. ત્યારે પીએમની આ મુલાકાતથી સૌરાષ્ટ્રમાં ચૂંટણીપ્રચાર રસપ્રદ બનશે. પીએમ મોદી  રાત્રીરોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે. ત્યારે મહત્વનું છે, કે ૨૩મી એપ્રિલે પીએમ મોદી સવારે અમદાવાદ આવશે. અને તેમના મતદાનનો ઉપયોગ કરીને સવારે ૭.૩૦ કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. અને વહેલી સવારે મતદાન કરીને લોકોને ભારે મતદાન કરવા માટે પ્રેરિત કરશે. ગુજરાતમાં આગામી ૨૩મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજનારા છે ત્યારે પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે. બે દિવસમાં તેઓ સુરેન્દ્રનગર, આણંદ, હિંમતનગર અને અમરેલીમાં જનસભાઓ ગજવશે. ૧૭મી એપ્રિલના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડ માટે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધીત કરશે. ત્યાર બાદ બપોરે ૩ વાગે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપરા માટે સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જાહેર સભાને સંબોધિત કરશે. સાંજે ૫ કલાકે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ માટે વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધિત કરશે, ત્યાર બાદ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ૧૮મી એપ્રિલના રોજ સવારે સાડા નવ કલાકે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર નારણ કાછડીયા માટે અમરેલીમાં જનસભા સંબોધશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.