મહેસાણામાં વિશ્વ ચકલીદિન નિમિત્તે સેવા સજીવ સેતુ દ્વારા રાધનપુર રોડ ઉપર આવેલી સાંઈ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે ચકલીના ૨૦૦ માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. એપ્રિલ અને મેં મહિનાના દર રવિવારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સેવા સજીવ સેતુના ચેરમેન રાજુભાઈ ચૌધરી, હિતેષ પટેલ, વિશાલ પ્રજાપતિ, વિશાલ ગજ્જર, વિજય ચૌધરી, જતીન પટેલ, રાજુ બારોટ, ચંદ્રેશ પટેલ, સુરેશ પટેલ સહિતની ૧૫ સદસ્યોની ટીમ દ્વારા કુલ બે હજાર માળાનું વિતરણ કરવામાં આવશે.