ભિલોડા : આજે ઘરડા મા-બાપને તરછોડવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેમને વૃદ્ધાવસ્થા દરમિયાન પૂંછતુ પણ નથી. સમાજના કેટલાક વર્ગોમાં દીકરી કરતા દિકરાઓને વધુ પ્રાધાન્ય અપાય છે તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં દિકરાઓ મા-બાપને તરછોડતા વાર નથી કરતી. પણ ભિલોડાના ભવનાથ નજીક અવસાન પામેલા પિતાને ચાર દીકરીઓએ કાંધ આપી સમાજ જીવન માટે પ્રેરણા રૂપ બની છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડાના નવા ભવનાથ ખાતે રાવલ ભવાનીશંકરનું ૮૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમને ચાર દીકરીઓ જ હતી એવામાં પિતાને કાંધ આપવા માટે ચારેય દીકરીઓએ નક્કી કર્યું અને કાંધ આપી સ્મશાન યાત્રામાં જાડાઇ હતી. ભવાનીશંકરને દિકરો ન હોવાથી ચાર દીકરીઓએ દિકરાની ફરજ નિભાવી હતી. ચારેય દીકરીઓએ પિતાને અÂગ્નદાહ આપતા સૌકોઇ ભાવુક થયા હતાં.