રેલવે સિંગલ નંબરની હેલ્પલાઇન શરૂ કરશે

 
 
 
 
                         આગામી દિવસોમાં ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ સુરક્ષા સંબંધિત બાબત સિવાય ફક્ત એક હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તાત્કાલિક ધોરણે કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધાવવા માટે સક્ષમ રહેશે.
રેલવે પ્રશાસન આ મહિનાના અંત સુધીમાં દેશભરમાં ર્રવાસીઓની સુરક્ષા મુદ્દે એક હેલ્પલાઇનનો નંબર ટૂંક સમયમાં ચાલુ કરાશે, જે વિવિધ રેલવે વિભાગીય નિયંત્રણ કક્ષ સાથે સંકલિત કરવામાં આવશે. ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજન, ટ્રેનની સેવા સંબંધિત કોઇ ફરિયાદ, સામાનની ચોરી, ફૂટબોર્ડ પ્રવાસીઓ તેમ જ ટ્રેનના ડબ્બામાં ઉપદ્રવ થતો હોવાની ફરિયાદોને એકીકૃત હેલ્પલાઇન નંબરથી કરી શકાશે. તેમ જ સુરક્ષા સંબંધિત ફરિયાદો માટે ૧૮૨ હેલ્પલાઇન નંબર ચાલુ જ રહેશે. હાલમાં જુદા જુદા વિભાગો માટે વિવિધ હેલ્પલાઇન નંબર પ્રવાસીઓને ગૂંચવણમાં મૂકી દે છે. પ્રવાસીઓની સલામતી સંબંધિત મુદ્દા માટે પ્રવાસીઓ વારંવાર આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના ૧૮૨ અને જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ના હેલ્પલાઇન નંબર ૧૫૧૨ પર ફોન કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.