ચાણસ્માના ઝીલિયામાં યોગી નિર્ઝર અંક વિમોચન અને સાહિત્યકાર સન્માન સમારોહ યોજાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ખાતે આજે નિર્ઝર ચતુર્થ અંક વિમોચન અને સાહિત્યકારનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર ગુજરાત રાજ્ય રાવળ સાહિત્ય કલા અને સાંસ્કૃતિક એકેડેમિક મંડળ તેમજ રાવળ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગુજરાત રાજ્ય રાવળ યોગી સાહિત્ય કલા અને સાંસ્કૃતિક એકેડેમિક ગાંધીનગર ના ઉપક્રમે આયોજિત અને ચાણસ્મા તાલુકા રાવળ યોગી ઉત્તેજક મંડળના મુખ્ય સહયોગથી ગુજરાત રાજ્ય રાવળ યોગી સમાજની અસ્મિતાને ઉજાગર કરતું એકમાત્ર સુરુચિપૂર્ણ સામાજિક મુખપત્ર નિર્ઝર ના ચતુર્થ અંક નો વિમોચન સમારોહ અને નિર્ઝરના સાહિત્યકારનું આજરોજ ઝીલિયા ગાંધી આશ્રમ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ સુરેશચંદ્ર કે રાવળ ,મહામંત્રી મગનભાઈ એલ રાવળ, અને ચાણસ્મા તાલુકા રાવળ ઉત્તેજક મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.