પાટણના વેલાણી પરિવાર ની ૧૦ વર્ષિય માસુમ જેન્સી દ્વારા ઉપધાન તપની આરાધના કરવામાં આવી
પાટણ : શ્રી ભીલડીયાજી ની પવિત્ર તીર્થભૂમિ પર બિરાજમાન ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય યશોવિજયજી સુરિશ્ર્વરજી મહારાજ અને આદિ ગુરૂ ભગવંતો ની પાવન નિશ્રામાં સ્વાતિ બેન પંકજભાઈ બચુભાઈ વેલાણી ની ૧૦ વર્ષિય માસુમ દિકરી જેન્સી વેલાણી એ ૪૫ દિવસની પવિત્ર ઉપધાન તપની આરાધના કરી મોક્ષમાળા પરિધાન કરતા તે આરાધના ની અનુમોદના અથૅ તપ વંદનાવલી કાયૅક્રમ રવીવાર નાં રોજ પાટણ શહેરના સંતોકબા હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ અનુમોદના પ્રસંગે દિવ્ય કૃપા ધારા ગિરનાર તિથૉદ્વારક પ.પૂ.આ.ભ.શ્રીમદ વિજય નિતિસુરિશ્વરજી મહારાજ અને આશિર્વાદ ધારા ભક્તિયોગાચાર્ય પ.પૂ.અ.ભા. યશોવિજય સૂરીશ્વરજી મહારાજ,પ.પૂ મૂનિરાજ તત્વરૂચિ મ.સા.તેમજ ગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ.શ્રી. વિજય હેમપ્રભ સૂરીશ્વરજી મ.સા દ્વારા વહેવડાવવા મા આવી હતી.
આ પ્રસંગે તપ વંદનાવલી તથા સંગીતની સુરાવલી સુરતના પિન્કલ રાવલ અને વક્તા કેતનભાઈ શાહ દ્વારા પ્રસ્તૃત કરવામાં આવેલ હતી.
આ અનુમોદના પ્રસંગે શ્રી ખીમાણા જૈન સંધ,શ્રી આશિષ સોસાયટી જૈન સંધ,શ્રી દશાશ્રીમાળી બેતાલીશી જૈન સમાજ પાટણ,શ્રી જૈન જાગૃતિ સેન્ટર પાટણ સહિત રાજકિય, સામાજિક આગેવાનો, એડવોકેટો, પત્રકાર મિત્રો અને સગા સબંધીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉપધાન તપની પવિત્ર અને કઠીન આરાધના કરનાર વેલાણી પરિવાર ની માસુમ જેન્સી ને બધાઈ વ્યક્ત કરી હતી.
આ પવિત્ર પ્રસંગને અનુરૂપ સ્વાતિબેન પંકજભાઈ બચુભાઈ વેલાણી પરિવાર દ્વારા જૈન સમાજ નાં વિવિધ ૧૩ જેટલા ધાર્મિક અને જીવદયા ની પ્રવૃતિ કરતી સંસ્થાઓ માં રોકડ દાન અપૅણ કરી પોતાના પરિવાર ની લાડલી જેન્સી નાં ઉપધાન તપની આરાધના નિમિત્તે આયોજિત કરવામાં આવેલ અનુમોદના પવૅને યાદગાર બનાવ્યો હતો.