પાટણમાં આંબેડકર ચોક ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

પાટણ
પાટણ

ભારતના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે શહેર ના બગવાડા પાસે સ્થાપિત ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પાટણ શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને આ વિસ્તારના દલીતભાઈ સમાજ સહિત ભાજપ ,કોગ્રેસ,આપ કાર્યકરો એ ડૉ બાબાસાહેબ પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી .સ્વયમ સૈનિક દળ દ્વારા શિસ્ત બંધ શહેર માં રેલી યોજાઈ હતી. તેઓની સેવા ની આજે ખાસ યાદ કરીને તેમની ડોક્ટર બાબા આંબેડકર અમર રહો બાબાસાહેબ અમર રહો ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. નિર્વાણ દિનની નિમિતે નરેન્દ્રભાઈ એમ પરમાર,ખેમચંદભાઈ પરમાર, વિનોદભાઇ સોલંકી,આનંદકુમાર ચૌહાણ,પ્રકાશ સેધલ, એન ડી મકવાણા,હર્ષદ વર્મા, સહિત મોટી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.