સાંતલપુર પીપરાળાની વન તલાવડીમાં કામકાજ દરમિયાન ટ્રેકટર પલટી, ચાલકનું મોત
સાંતલપુર તાલુકાના પીપરાળાગામમાં વન તલાવડી બનાવવાનુ કામકાજ ચાલતું હતું. આ દરમિયાન એક ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. જેથી ચાલક ટ્રેક્ટર નીચે દબાઈ જતા તેનું મોત થયું હતું.
આ વન તલાવડીમાં ટ્રેકટરના પાછળના પાવડાની મદદથી પાળી બનાવતા હતા. તે વખતે ટ્રેકટર પલટી ખાઈ ગયું હતું. જેથી ચાલકનુ મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.