પાટણઃ એક દિવસમાં ત્રણ કેસ, શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ
પાટણ શહેરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા પોઝિટીવ કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આજે જીલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. આજે સાંતલપુર, હારીજ અને પાટણમાં કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં તેમને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં કોરોના કેસ ૧૫૭ થયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં ૨૦ લોકોના મોત થયા છે.
પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા ૨ કેસ સામે આવ્યા છે. જેમાં હારિજ શહેરની મધુવન સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે સાંતલપુર તાલુકાનાં લુણીચણા ગામનાં ૧૯ વર્ષિય યુવક અને પાટણ શહેરની દેવકૃપા સોસાયટીની ૬૬ વર્ષની મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા ૨ કેસ સામે આવ્યા છે. જેમાં હારિજ શહેરની મધુવન સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષિય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે સાંતલપુર તાલુકાનાં લુણીચણા ગામનાં ૧૯ વર્ષિય યુવક અને પાટણ શહેરની દેવકૃપા સોસાયટીની ૬૬ વર્ષની મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
પાટણની દેવકૃપા સોસાયટીની ૬૬ વર્ષિય મહિલા ગત દિવસોએ અમદાવાદથી આવી હતી. જોકે તેમનામાં કોરોનાના લક્ષણો દેખાતા કોરોના રીપોર્ટ કરાવતાં તેમનો પોઝિટિવ આવ્યો છે. જિલ્લા માટે અનલોક-૧નો પિરીયડમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે. આથી અત્યાર સુધીનાં ૨૫ દિવસો લોકડાઉનના ૪ તબક્કા કરતા પણ વધુ ઘાતક પુરવાર થયા છે. તેવા સમયે આગામી સમયે વધુ છૂટછાટ અપાશે તો તે ખતરનાક સાબિત થશે તેવુ લોકો માની રહ્યા છે.