પાટણ શહેર સહિત જિલ્લામાં રખડતાં પશુઓને નિયંત્રિત કરવામાં તંત્ર નિષ્ફળ
પાટણ જિલ્લામાં ગૌવંશમાં લમ્પી વાયરસનો રોગચાળો વધી રહ્યો છે. સોમવારે પાંચ ગામમાં વધુ 16 કેસ મળતા કુલ 106 કેસ થયા છે. જેમાં સૌથી વધુ સાંતલપુર તાલુકામાં લંપી વાઈરસના કેસો નોંધાયા છે ત્યારે વાઈરસનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા સાવચેતીના પગલાં ભરાયા માટે તંત્રને સૂચના આપી છે છતાં લંપી વાઈરસના સંક્રમણ વાળા પશુઓ રખડતા જોવા મળતા રોગચાળો વકરવાની ભીતી સેવાઇ રહી છે આ ઉપરાંત પાટણ શહેર સહિત ગામડાઓમાં રખડતી ગાયો સંક્રમિત થવાનું જોખમ ઊભું થયું છે છતાં તંત્ર દ્વારા સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા નથી.
પાટણ જિલ્લામાં લંમ્પી વાયરસ ના વધુ 16 કેસ મળ્યા છે. જેમાં સાંતલપુરમાં ત્રણ જાખેલ પાચ લાલપુર ત્રણ બાબરી બે અને સાણીયાથર ગામેથી ત્રણ કેસ મળ્યા છે કુલ 106 કેસ થયા છે 465 ગામોમાં લંમ્પી વાયરસ અંગે સર્વે કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં 15623 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. સોમવારે વેક્સિનના વધુ 5000 ડોઝ તંત્રને મળ્યા હતા.રોગચાળો આટલો વકર્યો હોવા છતાં પાટણ શહેર સહિત ગામડાઓમાં પશુઓ રખડી રહ્યા છે જેના કારણે તેમને સંક્રમણ નું જોખમ છે છતાં તંત્ર દ્વારા રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે કોઈ પગલાં લેવાયા નથી એટલું જ નહીં
લંપી વાયરના સંક્રમણ વાળી ગાય બજારમાં ફરતી હોવાના સમાચાર વાય વેગે પ્રસરતા જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સ્થળ મુલાકાત લેવા જાણ કરવામાં આવી હતી.આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે અમોને સ્થળ પર જવા માટે જિલ્લામાંથી સુચના મળી હતી પરંતુ સ્થળ પર જવાયું નથી વાડામાં સંક્રમણ વાળી ગાયને પુરવામાં આવી છે. વાયરસથી સંક્રમીત ગાય સાંતલપુર બજારમાં ફરતી જોવા મળતા તંત્રની બેદરકારી સામે આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.