રાધનપુરના મહેમદાવાદના તળાવમાં બે દિવસ પહેલા ડૂબી ગયેલા યુવકનો બે દિવસે મૃતદેહ મળ્યો

પાટણ
પાટણ

રાધનપુરનાં મહેમદાવાદ તળાવમાં ન્હાવા ગયેલા વલુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ તળાવની ઘટના છે જ્યાં બે દિવસથી ગુમ થયેલ વ્યક્તિનો તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો. મળતી માહિતી મુજબ તળાવમાં ન્હાવા જતા ઘટના બની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મહેમદાવાદ ગામનાં તળાવ માંથી 44વર્ષીય રાઉમા વલીભાઈ નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો.બે દિવસ પહેલા તળાવમાં નાહવા ગયેલ વલીભાઈ નાં પરીવારજનો દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી.જે શોધખોળ બાદ મહેમદાવાદ ગામનાં તળાવમાં લાશ મળી આવતા આવતા શોકનો માહોલ છવાયો હતો.


મહેમદાવાદ ગામનાં સ્થાનિક તરવૈયા દ્વારા તળાવમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.તેમજ લાશને પીએમ અર્થે રાધનપુર ની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જે ઘટના ની રાધનપુર પોલીસ ને જાણ થતાની સાથેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત સામે આવી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.