સાંતલપુરના ઝઝામ પાસેની કેનાલના સાઈફનમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતાં ચકચાર

પાટણ
પાટણ

સાંતલપુર વિસ્તારમાં ધુળેટીના દિવસે કોઈ અજાણી વ્યક્તિએ તાજા જન્મેલા બાળકને ઝઝામ અને ફાગલી ગામની વચ્ચેની કેનાલમાં નાખી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઉપરાંત બાળકને કોણ અહિયા ફેંકી ગયું અને તેને કોણે જન્મ આપ્યો જેવા અનેક સવાલો ઉભાચર્ચાનો વિષય બન્યા છે. નોંધનીય છે કે બાળકને તેનાં વાલી કોઈક કારણોસર ફેંકી ગયાં હોવાનો સ્થાનિકો દ્વારા પ્રાથમિક અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જેને પગલે સ્થાનિક લોકોમાં બાળકનાં વાલી સામે ફિટકારની લાગણી વરસી રહી છે.

સાંતલપુર તાલુકાના ઝઝામ ગામની ફાગલી કચ્છ બ્રાન્ચ કેનાલના સાઈફનમાંથી સ્થાનિક લોકોને તાજા જન્મેલા બાળકનો મૃતદેહ મળી આવતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. તેમજ બાળકને જીવતા ફેંકી દીધું કે હત્યા કરી ફેંકી દીધું, તેમજ કોણ અહીંયા નાખી ગયું તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષ બન્યા છે. તેમજ બાળકના માતા-પિતા માટે લોકો ફિટકાર વરસાવી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.