સિધ્ધપુર નગરપાલિકાના વોટર વર્કસ વિભાગનો સપાટો
રખેવાળ ન્યુઝ સિધ્ધપુર :સિધ્ધપુર હોસ્પિટલ રોડ ખાતે આવેલ મોટા ઈસ્લામપુરા ખાતેના વ્રિન્દા ક્લીનીક પાસેના મકાનો માં રહેતા કેટલાક રહીશોને અમૂલ્ય પાણીને નહી વેડફવા અને ગંદકી નહી ફેલાવામાં માટે પાલિકા દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં લાપરવાહ બનેલા રહીશો પૈકીના ત્રણ મકાનોના પાણીના જાેડાણ આજે પાલિકાના વૉટર વર્કસ વિભાગ દ્વારા કાપી નાંખવામાં આવ્યા હતા. સમસ્યાથી પરેશાન લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને જે લોકો પાણી વેડફતા હોય તેમની શેહશરમ રાખ્યા વગર કનેકશન કાપી નાંખવા પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે. નગરપાલિકા દ્વારા પાણી વેડફતા રહીશોના હજુ વધારે કનેકશનો કાપવા ઝૂંબેશ શરૂ કરી છે. જાેજાે ક્યાંક તમારો નંબર તો નથી લાગતો ને?