ભાદરવો મહિનો બેસતા સિદ્ધપુરના બિંદુસરોવર ખાતે માતૃશ્રાદ્ધ માટે ધસારો જોવા મળશે

પાટણ
પાટણ

સિદ્ધપુર માતૃગયા તિર્થ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. જ્યાં કપિલમુનિ ભગવાન દ્વારા સૌપ્રથમ પોતાની માતાનું શ્રાદ્ધ કરી પોતાની માતાને મોક્ષ અપાવ્યો હતો. ત્યારે મંગળવારથી ભાદરવો માસ શરૂ થઇ રહ્યો હોવાથી ભાદરવા માસમાં પિંડદાન કરવા આવતા યાત્રાળુઓની સંખ્યા વધશે. અત્યારે પિંડદાન કરવા આવતા યાત્રાળુઓ અગાઉથી ગોર મહારાજનો સંપર્ક કરીને આવે છે. જેથી ગોરમહારાજ દ્વારા પોતાના યજમાનોને કોરોનાને કારણે ઓછી સંખ્યામાં આવવા કહી રહ્યા છે. જેથી કોરોના સંક્રમણનો ફેલાવો ન થાય. આમ બિંદુસરોવર પરિસરનો વહીવટ ગુજરાત દેવસ્થાન વિકાસ ટ્રસ્ટના નેજા નીચે થાય છે. પરંતુ ટ્રસ્ટ દ્વારા કર્મચારીની નિમણૂંક ન કરાતા ઘણાસમયથી બિંદુ સરોવર પરિસરનું કાર્યાલય ખુલતું જ નથી. જેથી આવનાર યાત્રાળુઓને માર્ગદર્શન મળતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.