સરસ્વતી નદી પર નવા ઓવરબ્રિજ માટે 24.58 લાખ ચૂકવી જમીન સંપાદિત કરવામાં આવી
પાટણ-ડીસા હાઇવે સ્થિત સરસ્વતી નદી પર નવીન ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.પરંતુ તેમાં ખાનગી માલિકીની જમીન સંપાદિત કરવાના મામલે છેલ્લા છ માસથી ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડી હતી.જે બાબતે કલેક્ટરે વળતર સાથે ખાનગી માલિકીની 1800 ચોરસ મીટર જેટલી જમીન સંપાદિત કરવાનો હુકમ કરતા માર્ગ અને મકાન વિભાગે રૂ.24.58 લાખ વળતર ચૂકવી જમીન સંપાદન કરવામાં આવી છે અને ઓવરબ્રિજની ખોરંભે પડેલી કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે.જેમાં માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર દિલીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ઓવરબ્રિજ માટે ખાનગી માલિકીની 1800 ચોરસ મીટર જેટલી જમીન રૂ.24.58 લાખ વળતર ચૂકવી સંપાદિત કરવામાં આવી છે.