સાંતલપુરના ઝઝામ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટેસ્ટિંગ કરાશે

પાટણ
પાટણ

સાંતલપુરના 10 ગામો વર્ષોથી પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે તેમની પાણીની સમસ્યા હલ થાય તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.3.12 કરોડના ખર્ચે ઝઝામ ખાતે બનાવાયેલા નવીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ઉનાળા પૂર્વે શરૂ કરવામાં આવનાર હોવાથી ગામોની પાણીની સમસ્યા કાયમી રીતે દૂર થશે.આમ સાંતલપુર તાલુકામાં જ્યાં ફક્ત ઉનાળામાં જ નહીં પરંતુ બારેમાસ પીવાના પાણીની સમસ્યા જોવા મળે છે.ત્યારે જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીથી વંચિત 10 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે બીએડીપી યોજના અંતર્ગત ઝઝામ ગામ પાસે પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંદાજે રૂ.3.12 કરોડના ખર્ચે બનાવવાની કામગીરી બે વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવી હતી.જે કામગીરી પૂર્ણ થતા ઉનાળાની ઋતુ શરૂ થાય તે પહેલા આ પ્લાન્ટ કાર્યરત કરવા માટે પાણી પુરવઠાની વિભાગની ટીમ દ્વારા ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે આગામી સમયમાં ટેસ્ટિંગ સફળ રહેશે તો અંદાજે દસ દિવસમાં આ યોજના સાથે સંકળાયેલા 10 ગામોમાં પૂરતું પાણી આપવાનું શરૂ કરવામાં આવશે.જેથી વર્ષોથી પાણી માટે રઝળપાટ કરતા ગામની પાણીની મોટી સમસ્યા દુર થશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.