પાટણની કર્મભૂમિ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં મુશ્કેલી

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ : પાટણની ટેલીફોન એક્ષચેન્જ રોડ ઉપર આવેલ કર્મભૂમિ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી નું ખાતમુર્હત કર્યા ના આજે ૧૫ દિવસ થઇ ચૂક્યા છતાં આજદિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી તો તમે જોઈ શકો છો સામાન્ય વરસાદ પડવાથી આજની રવિવારના દિવસે આ વિસ્તાર માં પાણી ભરાઈ જવા ના દ્રશ્ય નજર સામે આવ્યા છે અને એક બાજુ વરસાદી પાણીની સાથે સાથે ડ્રેનેજ ગટર ઊભરાવા નો પણ મોટો પ્રોબ્લેમ ચાલુ છે રોજ ગટર ઊભરાવાની મુશ્કેલી નો સામનો આ વિસ્તારના રહીશો કરે છે જ્યારે પણ પાલિકા તંત્રને જાણ કરવામાં આવે ત્યારે મોટર બળી જવાનું બહાનું બતાવી દે છે જો મહિનામાં ૨૫ દિવસ મોટર બળી જતી હોય તો જેને પણ આ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેનો કોન્ટ્રાક્ટ રદ તાત્કાલિક કરવો જોઈએ કારણ કે ગટર ઉભરાવા નો પ્રોબ્લેમ રોજનો થઈ ચૂક્યો છે આ વિસ્તારના રહીશો રજૂઆતો કરી કરી હવે તો થાક્યા છે નગરપાલિકા તંત્રએ પણ આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ એવું આ વિસ્તારના લોકોનું કહેવું છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.