પાટણમાં ડોક્ટર સહિત ૨ કોરોના પોઝિટીવ

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ : પાટણમાં આજે કોરોનાના નવા બે કેસ સામે આવ્યા છે. પાટણ શહેરમાં કોરોનાના ચેપનો ફેલાવો ભયાનક સ્થિતિએ પહોંચ્યો હોય તેમ આજે શહેરમાં નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં શહેરના રાજમહેલ રોડ પર ૪૯ વર્ષીય પુરૂષ અને નવજીવન હોસ્પિટલમાં રહેતા ૨૯ વર્ષીય રેસીડેન્ડ ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૧૦૩ કેસ નોંધાયા છે. જેમાંથી ૮ લોકોનું કોરોનાના કારણે મોત થયુ છે.
પાટણ જીલ્લામાં કોરોનાના નવા બે કેસ સામે આવતા શહેરમાં સંક્રમણ બેફામ બન્યુ છે. આજે પાટણ શહેરની નવજીવન હોસ્પિટલના રૂમ નંબર-૨માં રહેતા ૨૯ વર્ષીય રેસીડેન્ડ ડોક્ટર અને શહેરના રાજમહેલ રોડ પર આવેલી મહાવીરનગર સોસાયટીમાં રહેતા ૪૯ વર્ષીય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ શહેરમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય તંત્રમાં પણ સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે કોરોના પોઝિટીવ આવેલા ડોક્ટરને તાવ, ખાંસી અને માથાના દુઃખાવાના લક્ષણો હતા. આ સાથે મહાવીરનગરના દર્દીને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બંનેના સેમ્પલ લેવાયા હતા. જેમાં આજે બંનેનો રીપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલિક અસરથી બંનેને સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.ગલાં ભરી શકાય તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.