પાટણ ખાતેથી માતાજીની માંડવી સાથે સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યુ

પાટણ
પાટણ

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો લોકમેળો ભરાતો હોય છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં જગદંબાના દર્શન માટે આવે છે. ત્યારે સોમવતી અમાસની રાત્રે પાટણના કસારવાડા મહોલ્લામાંથી માઈભક્તોએ માં જગદંબાના જય જયકાર સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. આમ અંબાજીમાં ભરાતા ભાદરવા સુદ-પૂનમના મેળામાં પાટણ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને માં જગત જનનીના ચરણોમાં શીશ નમાવવા માટે જાય છે. ત્યારે આ વર્ષે કોરોનાના કારણે મેળો ભરાશે કે નહીં તેને લઈને હજુસુધી કોઈ નિર્ણય કરાયો નથી. ત્યારે બીજીતરફ જે સંઘો અગિયારસે જતા હતા તે સંઘો આ વર્ષે વહેલા પ્રસ્થાન થયા છે. માઈભક્તોએ માતાજીના રથડા લઈ ‘બોલ માડી અંબે’ના જયકાર સાથે અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતુ. પાટણ શહેરમાંથી કસારવાડા પરિવારનો 40 પદયાત્રીઓનો સંઘ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગરબે ઘૂમતા-ઘૂમતા બગવાડા દરવાજા ખાતે પહોચ્યો હતો. જેમા ભક્તોએ માં જગદંબાનો જય જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું. આમ સંઘોને વળાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.