પાટણમાં મનીષ સીસોદીયાનો રોડ શો યોજાયો
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે.ત્યારે આજે પાટણ ખાતે આપના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા રોડ શો યોજી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ.જ્યાં તેઓએ વીરમેઘમાયા મંદિર,નગરદેવી કાલિકા માતાજીના મંદિરે દર્શન પૂજન કર્યું હતું.ત્યારબાદ ત્રણ દરવાજા ખાતે રોડ શો યોજવામાં આવ્યો હતો.જે ત્રણ દરવાજા થઈ મેન બજાર હિંગલાચાચાર, બગવાડા સંપન્ન થયો હતો પાટણ ખાતે યોજાયેલ રોડ શોમાં ઇસુદાન ગઢવી અને પાટણ મતવિસ્તારના આપના ઉમેદવાર લાલેશ ઠક્કર સહિત મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં મનીષ સીસોદીયાનું આપના કાર્યકરોએ ફૂલહાર અને તિલક કરી સ્વાગત કર્યું હતું.મનીષ સીસોદીયા આજે પાટણમાં રોડ શો યોજ્યા બાદ સાંજે બાલિસના ગામમાં સભા યોજશે.ત્યારબાદ બીજા દિવસે સિદ્ધપુરમાં ફરી રોડ શો યોજશે.