પાટણમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

પાટણ
પાટણ

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા પાટણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ભગવાનના બાલસ્વરૂપને શણગારવા માટેની સાધન સામગ્રી ખરીદવા શહેરની બજારોમાં મહિલાઓનો ઉત્સાહ જોવા મળી રહયો છે. જેમાં શહેરના પ્રાચીન અને અર્વાચીન કૃષ્ણ મંદિરોમાં અને વૈષ્ણવોના ઘરમાં કાનાના જન્મોત્સવની તૈયારીઓને અંતિમ સ્વરુપ અપાઈ ચુક્યુ છે. આમ દેશના લોકો વિવિધ દેવીદેવતાઓને માને છે. જેમાં દરેકના આરાધ્યદેવ જુદાજુદા હોય છે, પરંતુ જ્યારે કૃષ્ણની વાત આવે છે. ત્યારે સૌના ચહેરા પર નિર્દોષ સ્મિત થઈ જાય છે. કાનુડો સૌનો પ્યારો છે માટે સમગ્ર વિશ્વ તેનામાં પ્રેમ સ્વરુપના દર્શન કરે છે. ત્યારે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા પાટણ શહેરની બજારોમાં ભગવાનના આભુષણો -વસ્ત્ર અલંકાર,મુગટ,પારણું,વાંસળી સહિતની ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વને અનુલક્ષીને પાટણમાં પ્રાચીનકાળથી પરીવારોમાં પુત્ર જન્મની ખુશીમાં તેમજ કેટલાક પરીવારોમાં હરખના કાનુડાઓની મૂર્તિ ઘરે લાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમી પર્વને લઈ ઓતીયા કારીગરો દ્વારા પરીવારમાં ઉજવાતા બાધા માનતાના કાનુડા માટે પાટલા ઉપર માટીના કાનુડા બનાવવાની કામગીરીને અંતિમ સ્વરુપ આપવામાં આવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.