પાટણ જિલ્લામાં કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
વિધાનસભાસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે.ત્યારે મતદારોને આકર્ષવા માટે આયોજન સાથે લોકસંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમા કોંગ્રેસ દ્વારા મતદારો જો કોંગ્રેસ સતા પર આવશે તો 8 વચનો સાથેના વાયદા પુરા કરવામા આવશે તેવી પત્રિકાનુ કોંગ્રેસી આગેવાનો પોતાના વિસ્તારમાં મતદારોનો ઘર ઘર જઇ લોકસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જેમાં કોંગ્રેસના આગેવાન દિનેશજી આતાજી અને કાર્યકરોએ હારીજના પિલુવાડા,જ્યારે રાજુલભાઇ પટેલ,રમેશભાઈ દેસાઇ અને નાગજીજી દરબાર દ્વારા સુણસર,ખોરસમ,ભાટસર અને વડાવલી ખાતે પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું