પાટણમાં ભૈરવદાદાના મંદિરે જન્મજયંતિ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો
પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોના આસ્થાના પ્રતિકસમા બની રહ્યા છે. ત્યારે પાટણની ધર્મપ્રેમી જનતા દ્વારા અવારનવાર ધાર્મિક પરિસર ખાતે ભક્તિસભર ધાર્મિક ઉત્સવો,મેળાઓ,પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ દેવી-દેવતાના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે. ત્યારે પાટણના પ્રસિદ્ધ કાળભૈરવ દાદાના મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે કારતક વદ આઠમના દિને ભૈરવ દાદાના જન્મજયંતિ મહોત્સવ પર્વને અનુલક્ષીને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્નકુટ મહોત્સવનાં દર્શન અને પ્રસાદનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.