પાટણમાં ધાર્મિક સ્થાનોના દબાણ દુર કરવા નોટીસ પાઠવાતા રોષ
રખેવાળ ન્યુઝ પાટણ
પાટણ શહેરના ર૩ ધાર્મિક સ્થાનો તોડવા માટેની યાદી નગરપાલિકાએ તૈયાર કરીને તમામ ધર્મસ્થાનોના વહીવટ કર્તાઓને આ દબાણો દુર કરવા નોટિસ જારી કરી છે. જેને કારણે તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
પાટણ શહેરમાં રોડ રસ્તા પૈકીના નડતર હોય તેવા વર્ષો જૂના અને લોકોના આસ્થાનું કેન્દ્ર બનેલા નાના-મોટા ધાર્મિક સ્થળોને સુપ્રીમ કોર્ટના આદેશથી દબાણ ગણીને દુર કરવા બાબતે પાટણ પ્રાંત અધિકારીની મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુંજબ પાટણ શહેરના અલગ-અલગ વિસ્તારો આવેલા ધાર્મિક સ્થળો જેવા કે, રાણીની વાવ રોડ પર આવેલા ઝાપડા દાદાનું મંદિર,કનસડા ચોક પાસે આવેલા જાેગણીમાતાનું મંદિર, રેલવે સ્ટેશન રોડ પર આવેલ બાલા હનુમાન મંદિર સહિતના ર૩ ધાર્મિક સ્થાનો તોડવા માટેની યાદી નગરપાલિકાએ તૈયાર કરીને તમામ ધાર્મિક સ્થાનોના વહીવટ કર્તાઓને આ દબાણ દુર કરવા ૭ દિવસની મહેતલ આપતી નોટિસ જારી કરી છે. જેને કારણે તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.