પાટણમાં શહેરમાં કોરોનાથી વધુ એક મોત : કુલ આંકડો ૨૯ પહોંચ્યો

પાટણ
corona
પાટણ

રખેવાળ ન્યૂઝ પાટણ  : પાટણ જિલ્લામાં સંક્રમણ બેકાબૂ બનતા દર્દીઓની સંખ્યામાં વારંવાર મોટો ઉછાળા વચ્ચે આજે વધુ એક કોરોના દર્દીનું મોત થયુ છે. શહેરના મોતીશા દરવાજાના જકસીવાડામાં રહેતાં ૬૨ વર્ષિય પુરૂષનો ગત દિવસોએ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને લઇ તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા બાદ આજે સારવાર દરમ્યાન તેમનું મોત થયુ છે.
પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસનો કુલ આંકડો ૩૦૬ પહોંચ્યો છે. આ તરફ આજે વધુ એક કોરોના દર્દીનું મોત થતાં જીલ્લામાં કુલ મોતનો આંક ૨૯ પહોંચ્યો છે. નોંધનિય છે કે, પાટણ શહેર અને તાલુકામાં ૧૬૭, સિધ્ધપુર શહેર અને તાલુકામાં ૪૦, સરસ્વતી તાલુકામાં ૨૬, ચાણસ્મા તાલુકામાં ૧૪, હારીજ તાલુકામાં ૯, સમી તાલુકામાં ૭, રાધનપુર તાલુકામાં ૧૯, શંખેશ્વર તાલુકામાં ૭ અને સાંતલપુર તાલુકાના ૧૭ કેસો મળી અત્યાર સુધી જીલ્લામાં ૩૦૬ કોરોના કેસ નોંધાયા છે. પાટણ જિલ્લા માટે અનલોક-૧નાં પિરિયડમાં ગાઈડ લાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે. લોકડાઉનના ચાર તબક્કાનાં ૭૦ દિવસો કરતા અનલોક-૨માં વધુ ઘાતક પુરવાર થયુ જ છે ત્યા અનલોક-૨ પહેલો દિવસ પણ આધાતજનક સમાચારો સાથે શરૂ થયો હોવાથી હવે આવનારો સમય કેવો પસાર થશે તે જોવુ રહ્યું.!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.