હારીજ શહેરમાં જમીનની જૂની અદાવતને કારણે કરાયેલા ફાયરિંગમાં એકનું મોત
હારીજ ખાતે રહેતા રબારી સમાજના કુટુંબીજનોમાં જમીનના આ મામલે અગાઉ થયેલી બબાલની અદાવત રાખીને શનિવારના રોજ બાઈક ઉપર આવેલા કેટલાક ઇસમો દ્વારા લાભુભાઈ કમશીભાઇ દેસાઈ અને મહેશભાઇ કરમશીભાઇ દેસાઈ ઉપર હારીજ એપીએમસીમાં કેમ્પસમાં આંતરી રિવોલ્વરથી ફાયરિંગ કરી છરી જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો. જે હુમલામાં લાભુભાઈ કમશીભાઇ દેસાઈને પેટના ભાગે ગોળી વાગતા અને છરીથી કરાયેલા હુમલાના કારણે તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મહેશભાઇ કરમશીભાઇ દેસાઈને ગંભીર ઇજાઓ થતા તેઓને તાત્કાલીક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.