સમીના ચડિયાણામાં એરંડાના કુણા પાન ખાતા 40થી વધુ ઘેટાંના ટપોટપ મોત
પાટણ જિલ્લા ના સમી તાલુકા ના ચડિયાણા ગામે ઘેટાં ઘાસચારો ચારતા ચારતા એક ખેડૂત ના વાવેલ ખેતર માં પહોંચી જઈ ખેડૂત ના વાવેલ એરંડા ના પાક ના કુણા પતા ખાઈ જતા 40થી વધુ ઘેટાં ના મોત થયા છે. ઘેટાં મારવાના કારણે અરેરાટી મચી ગઇ છે.તો ખેતર માં ઢેર ઠેર ઘેટાં પડેલા જોવા મળે છે.એક ખેતરમાં ઘેટાં ચરી રહ્યાં હતા જે દરમિયાન અચાનક જ ઝેરી અસર થતા ઘેટાંના ટપોટપ મોત થવા લાગ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા જ તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આમ એરંડા ના પાન ખાવાથી 40જેટલા ઘેટાં ના મોત થતા ઘેટાં ના મલિક ને ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.