
બહારથી દરવાજો બંધ કરી બીજા માળના દરવાજાનું તાળું તોડી રૂ.64 હજારની ચોરી
પાટણ તાલુકાના કમલીવાડા ગામે શુક્રવારે રાત્રે તસ્કારો ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ખેડૂત પરિવાર નીચેના માળે ઘરમાં સુતો હતો ત્યારે તસ્કરોઅે બીજા માળના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી 24500ના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂ .40000ની ચોરી કરી હતા. બે મકાનમાં ફોગટ ફેરો પડ્યો હતો. બાલીસણા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
કમલીવાડા લક્ષ્મીપુરા ગામે રહેતાં રામાભાઇ કાશીભાઈ પટેલ પરિવાર શુક્રવારે રાત્રે બીજા માળે આવેલા મકાનને તાળું મારી નીચે સુતા હતા. ત્યારે બીજા માળના દરવાજાનું તાળું તોડી તસ્કરો તિજોરીમાંથી રોકડ રૂ.40000, અડધા તોલાની સોનાની બે બુટીઓ કિ.રૂ.20000, 1 ગ્રામની સોનાની નાકની ચુની કિં. રૂ.1000, ચાંદીની પગની 2 શેરો રૂ.3000, બે નંગ પગની શેરો રૂ.500 ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે રામાભાઇ કાશીરામ પટેલે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.