પાટણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાયનો પ્રથમ હપ્તો આપવા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ
પાટણમાં બકરાતપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પાયા સુધીનું કામ પૂર્ણ કર્યા બાદ પણ મકાન સહાયનો છેલ્લા 3 માસથી હપ્તો મળ્યો નથી. જેથી પરિવારો ઘર વિહોણા બનીને બેઠા હોય સત્વરે હપ્તો ચુકવવામાં આવે તેવી લાભાર્થીઓ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.
પાટણ શહેરમાં નગરદેવી કાળકા મંદિરની કોટની બહાર 50 વર્ષથી રહેતા પરિવારોને મંદિરના વિકાસ માટે મંદિરની જમીનમાં રહેલા મકાનો દબાણમાં હોય એક વર્ષ અગાઉ પૂર્વે કલેક્ટર આનંદ પટેલે મકાનો તોડી પરિવારોને શહેરની બહાર બકરપુરા વિસ્તારમાં માનવતાના ધોરણે રાહત પ્લોટ ફાળવીને તાત્કાલિક મુખ્યમંત્રી આવાસ યોજના સહાય મંજૂર કરાવી હતી.