
પાટણ કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના અપાઈ
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. આજે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાંથી આવેલા 7 જેટલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
પાટણ જિલ્લા કચેરી કલેકટર કચેરીએ આજે 7 જેટલા અરજદારો પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દબાણના પ્રશ્નો, રોડના પ્રશ્નો, ગટર, ગંદકી, પાણીના પ્રશ્નો વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેકટરએ સંબંધિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં.આજે યોજાયેલા જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.